Skip to main content

Kshatriya Group and identy

ક્ષત્રિય સમુહો અને ઓળખ


         દરેક સમાજની એક આગવી ઓળખહોય છે અને એ ઓળખના કારણે તે ખ્યાતિ પામે છે. એ જ રીતે જ્ઞાતિ એ પણ દરેક વર્ગ માટે બહુજ જરુરી છે. જ્ઞાતિ પ્રથા સમાજને મજબૂત અને એક બનાવે છે. જ્ઞાતિ પ્રથા એ દેશને વિભાજીત થતો રોકે છે. જ્ઞાતિને માટે નાત,ન્યાત, જાતિ, વર્ણ, કોમ કે વર્ગ એવા શબ્દો સમાન અર્થમાં વપરાય છે. વેદ રચનાર આર્ય લોકોની સમાજ વ્યવસ્થામાં વર્ણભેદ હતો. વર્ણનો અર્થ રંગ થાય છે. આર્યો અમુક લક્ષણોવાળા હતા. જેથી તેમણે ચાર વર્ગ નક્કી કર્યા અને એ ઉપરથી ચાર વર્ણ નક્કી થઈ. તેને બ્રાહમણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ નામોથી ઓળખવવામાં આવે છે. આ ચારેય વર્ણના લોકો એકજ જાતિના હતા. માત્ર તેમનાં ગુણ, કર્મો ઉપરથી તેમના વર્ણભેદ પાડવામાં આવ્યા હતા.  આ તમામ વર્ણો વચ્ચે અનુલોમ લગ્ન વ્યવહારો થતા હતા.( અનુલોમ એટલે  કે ઉચ્ચ વર્ણવાળા પોતાનાથી ઉતરતી વર્ણમાંથી કન્યા મેળવી કરે, પરંતુ પોતાની કન્યા પોતાનાથી જ્ઞાતિ બહાર આપે નહી.) જ્ઞાતિ એ લોહીના સંબંધથી જોડેયેલા જનસમૂહ છે. જાતિ પ્રથાની ઉત્પતિનાં અનેક કારણો મનાય છે. જેમકે એક સંજોગ એવો હતોકે એક પ્રજા બીજી પ્રજાને જીતે, ત્યાર પછી જિતાયેલી પ્રજાની સ્ત્રીઓને , વિજેતા પ્રજા રખાત અથવા પત્ની તરીકે સ્વીકારતી. પરંતુ પોતાની પુત્રીઓના લગ્ન જિતાયેલી પ્રજામાં ન કરતાં અંદર અંદર કરવામાં આવતાં. આ પ્રથા અનુલોમ પ્રથાનો જ એક ભાગ ગણાય. આને લીધે નવી નાતોનો ઉદ્ધભવ થયો મનાય છે. કેટલીક વાર પરદેશી આક્રમણકારીઓના લીધે લોકો સ્થળાંતરીત કરી જતાં હતાં. તેઓ કોઇ બીજા ગામ કે પ્રદેશમાં જઈને વસતા. છતાં પોતાના મૂળ ગામ કે પ્રદેશના નામથી ઓળખાતા. આ રીતે ગામો કે પ્રદેશના નામ ઉપરથી પણ કેટલીક જ્ઞાતિઓ પોતાની ઓળખ કે શાખથી ઓળખાય છે. બારૈયા, બારીયા, પાટણવાડીયા વિગેરે નામો આ પ્રકારનાં છે. બ્રીટીશ યુગમાં આવી જ્ઞાતિઓના વાડા કે તડ તેમજ પક્ષ પડેલા જણાય છે.જ્ઞાતિનું સંગઠન સાચવવાને બદલે નજીવાં કારણોએ વાડા કે વિભાજન કરવાની વૃત્તિ છેલ્લા  દોઢસો વર્ષ  દરમ્યાન વધેલીજણાય છે. ( આધાર: મધ્યકાલિન રાજપૂત ઇતિહાસ ભારતીય સમાજ શાસ્ત્ર ) 
     આ રીતે દરેક જ્ઞાતિઓના નાના નાના કે મોટા મોટા સમુહો પણ હોય છે. આ તમામ જ્ઞાતિઓથી એક યા એકથી વધારે સમુહો વિવિધ કારણોસર આસ્તિત્વમાં આવેલા છે. જેનાથી ક્ષત્રિય સમાજ પણ અછૂત નથી. ક્ષત્રિય સમાજમાં પણ અનેક વાડાઓ અને સમૂહોનુ અસ્તિત્વ હજારો સાલોથી છે. આવા અનેકનેક ક્ષત્રિય સમૂહો પોતાની એકતાના અભાવે ભૂતકાળમાં ઘણી બધી ભૂલો કરી બેઠો છે. વર્તમાનમાં આ તમામ સમૂહો એક થવાનો પ્રયત્ન કરી રહી છે. પરંતુ તેમાં જોઇયે તેટલી સફળતા મળી શકી નથી. તો આવો આવા ક્ષત્રિય સમૂહોની  કેટલીક માહીતી મેળવીયે. 
     ક્ષત્રિય સમાજમાં નીચે મુજબના સમુહો કેટલીક માન્યતાઓ અને પોતાની ઉંચનીચની વાડાબંધીના કારણે અસ્તિત્વમાં આવેલી જણાય છે.આ ક્ષત્રિય જ્ઞાતિઓમાં અનેક નાના મોટા ફાંટા અને પેટા જ્ઞાતિઓ અને ગોળ છે.  આ સમૂહો છે(ક્ષત્રિય ગ્યાતિઓ). (૧) રાજપૂત (ગરાશીયા) (૨) રજપૂતો (૩)મોલેસલામ ગરાશિયા 
  (૧)ગરાશીયા રાજપૂત: મૂળ તો ગરાસદારો એટલે કે ગરાસ ઉપરથી આ નામ આવેલ છે. રાજપૂત યુગમાં મોટા મોટા ગરાસો ધરાવતા હોવાથી તેમજ પોતે મોટા ગરાસો મેલવેલા હોવાથી અને આજે પણ મોટા પાયા પર જાગીરો કે જમીનો ધરવતા હોવાથી તેઓ ગરાશિયા કે ગરાશિયા રાજપૂત તરીકે ઓળખાય છે. આ લોકો પોતાને આ જ્ઞાતિઓમાં ઉચ્ચ માનતા હોય છે. 
    (૨)રજપૂતો :આ ક્ષત્રિયોનો આ વર્ગના મધ્યમ અને થોડી જમીન જાગીર ધરાવતો વર્ગ છે. જેઓના વડવાઓ  રાજપૂત કે મુસ્લિમ યુગમાં સૈનિકો  કે સામંતો તરીકે રાજ્યના દરબારીઓ તરીકે ફરજો બજાવતા હતા અને લડવૈયા તરીકેની પોતાની ફરજો અદા કરતા હતા. હાલમાં આ વર્ગ મોટે ભાગે ખેતી જ કરે છે. 
   રાજપૂત કોમો : ઠાકોર, બારૈયા, ઠાકોર, ઠાકરડા, પાટણવાડીયા, ધારાળા વિગેરે. ઠાકોર એ મુખ્યત્વે ઉત્તર ગુજરાતના હાલના પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, પંચમહાલ વિગેરેજીલ્લાઓમાં વસવાટ કરે છે. જ્યારે બારૈયા, ધારાળા, પાટણવાડીયા વિગેરે મધ્ય ગુજરાતના ખેડા, આણંદ, વડોદરા અને પંચમહાલ તથા કેટલેક અંશે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જીલ્લામાં વસવાટ કરતા હોવાનું જણાય છે. આમાંથી મધ્ય ગુજરાતના પાટણવાડીયા તરીકે ઓળખાતા આ સમૂહના આ ક્ષત્રિયો મુસલમાની અને મરાઠા રાજયની હકુમત સમય દરમ્યાન પાટણ પ્રદેશમાંથી મધ્ય ગુજરાતમાં આવીને વસેલા છે. મૂળે આ તમામ ક્ષત્રિયો કે કોમો રાજપૂત જાતિમાંથી ઉતરી આવેલી છે. આ ક્ષત્રિય કોમોમાં રાજપૂતોની તમામ અટકો હોય છે. જેમકે પરમાર, ચૌહાણ, વાઘેલા, સોલંકી, રાઠોડ, ગોહીલ, યાદવ, ચાવડા,મકવાણા, ઝાલા, ડાભી વિગેરે. આ ઉપરાંત ક્ષત્રિયોની ચોસઠ શાખાઓ પણ હોય છે. એક શાખાવાળો પોતાનાથી ઉતરતી શાખામાં કન્યા આપતો નથી. તેમજ પોતાની શાખામાં કન્યા આપતો નથી. આ ક્ષત્રિય કોમો મોટે ભાગે જૂથોમાં જ વસેલી હોય છે. આમાંની કેટલિક શાખાના ક્ષત્રિયો પોતાની કન્યાઓ રાજપૂત ગરાશિયાઓમાં આપે છે. પણ રાજપૂત ગરાશિયા તેમને પાછી કન્યાઓ આપતા નથી. 
 (૩) મોલેસલામ ગરાશિયા: આ કોમ મોગલ શાસન સમયે એક યા બીજા કારણે જેઓએ મુસલમાનો સાથે ખાનપાન અને બેઠી વ્યવહાર કર્યો તે બાદશાહોના મહેલોમાં જઈને સલામો મારી તેઓ મોલેસલામ ગરાશિય કહેવાયા. મૂળે આ કોમ રાજપૂત હતી. ગુજરાતમાં આવા મોલેસલામ ક્ષત્રિયોમાંના ખડાલ, પુનાદરા, ધોળાકુવા, કૌસમ, વાઘજીપુર વિગેરે જગ્યાએ વસતા હજારો મોલેસલામ મકવાણા, બારૈયા ઠાકોરોમાંથી થયેલા જ્યારે ભેટાશી, નાપા, તેમજ માતર, બોરસદ, આણંદ વિગેરે  વિસ્તારના તાલુકાઓમાં વસતા મોલેસલામો રાજપૂતોમાંથી થયેલા છે. આ બધા મુખ્યત્વે ખેડા જીલ્લાના વિસ્તારોમાં વસવાટ કરતા જોવા મળે છે. 
  જાતિવાચક સંજ્ઞાઓ : ઠાકોર, ઠાકરડા, બારૈયા, ધારાળ, પાટણવાડીયા, પગી,  ખાંટ વિગેરે નામો કોઇ કોમ કે અટક ને લાગુ પડતા નથી કે કોઇ કોમની અટકો નથી. પરંતુ સંજોગોવસાત તેમને અમુક સમાજોએ અમુક નામે સંબોધવાથી લાંબા ગાળે તેમનાં તેવાં નીચે જણાવ્યા મુજબનાં જાતિવાચક નામો પડ્યાં હોય તેમ જણાય છે.   
    ઠાકોર:પૂર્વે રાજપૂત યુગ કે મસલમાન યુગ સમયે કેટલાક ક્ષત્રિયોના પૂર્વજો નાની નાની જાગીરો કે જમીનો તેમજ ઠાકરાતો ધરાવતા હતા. આવા ક્ષત્રિયોને પાલવી ઠાકોર કે પાલવી દરબાર તરીકે ઓળખવામાં આવતા. ગામધણી કે અધિપતિ. ઠાકોરએ ઉપમાવાચક પદવી છે. એ કોઇ કોમની અટક નથી.ગામધણી; ગરાસિયો; તાલુકદાર; નાનો રાજા.
  ઠાકરડા : ઠાકોરો, જાગીરદરો કે જમીનદારો, તાલુકદારોના ભાયાતોને ઠાકરડા તરીકે ઓળખવામાં આવે છે. નાના નાના ભીલ, કોળી અને રજપૂત રાજાઓના ભાયાતો અને વંશજો; લડાયક ભીલ, રજપૂત વગેરે જાતિની પ્રજા.
   બારૈયા:  નદી તેમજ દરીયા કિનારે બારામાં વસનાર. મોટે ભાગે મધ્ય ગુજરાતમાં વસવાટ કરે છે. 
  ધારાળા: જમીન પર કામ કરનારા અને નદીની ધારો પર વસનારા તેમજ લાંબા ધારદાર તલવારની જગ્યાએ તિક્ષ્ણ ધારદાર ધારિયાં રાખનાર તે ધારાળા. મોટે ભાગે મધ્ય ગુજરાતમાં વસવાટ કરે છે. 
  પાટણવાડીયા: પૂર્વકાળમાં પાટણથી આવીને મધ્ય ગુજરાતમાં વસેલી ક્ષત્રિય કોમ.મોટે ભાગે મધ્ય ગુજરાતમાં વસવાટ કરે છે.   
   પગી:ચોરી પકડનાર, પગલુ કાઢનાર.પગલાં જોઇ ચોર કોણ છે અને તે ચોરી કરી ક્યાં થઈને ગયો તે પારખી કાઢનારો માણસ; પગલું પારખી કાઢનારો માણસ; પગલું પારખી ચોરની ભાળ કાઢનાર માણસ.
કોટવાળ:  કોટ કે કીલ્લાનું રક્ષણ કરનાર 
ઇતિહાસ:  આ જ્ઞાતિઓ પૂર્વકાળમાં મારવાડ, મેવાડ તથા માલવા ને ગુજરાતની રાજપૂત જ્ઞાતિ હતી. તેમનાં રજ્યો તૂટવાથી તેઓ ગુજરાતમાં આવીને વસ્યા. પછીથી પાટણ તરફની વસ્તીમાં ભળવાથી તેઓ રાજપૂત મટી ઠાકોર કહેવાયા. ઠાકોરનો અપભ્રંશ ઠાકરડા થયું. ચરોતર સર્વ સંગ્રહના ઉલ્લેખ મુજબ બ્રીટીશ અમલ સમયે ટોડા ગરાસ અને મુલકગીરી ના નામથી કેટલીક વસુલાતો શરુ થઈ હતી. જે રાજાઓ સાથે આવા કરારો થયા તેઓ રાવ, રાણા, રાજાઓ એ નામથી ઓળખાતા થયા. તેમના મોટા પુત્રો કુંવરો કહેવાયા, જ્યારે કુંવરોના મોટા પુત્રો ઠાકોરો કહેવાતા, અને ઠાકોરોના નાના નાના પુત્રો ગિરાશિયાઓ, ભૂમિયાઓ, ઠાકરડા, એ નામોથી જાણીતી થયા. આ બધા ક્ષત્રિયો રાજપૂત વંશોવાળા પણ છે. કેટલાક રાજપૂતો કાળાંતરે નીચા દરજ્જામાં ફેંકાઈ જતાં અને ઈતર વ્યવસ્થા અપનાવવા છતાં પોતાની મૂળ અતકો યથાવત રહેવા પામી છે. આ ક્ષત્રિયો વંશો હારવાથી, ભાગવાથી, કે ભાગલા પડવાથી આ વંશો વિકેન્દ્રિત થઇ ચારે તરફ પ્રસરતા રહ્યા.  રાજાઓના રાજ્યો વિકેન્દ્રિત થતા ગયા ત્યેમ આ ક્ષત્રિયોના વંશજો તે મુજબ વિકેન્દ્રિત થતા ગયા અને મોભો પણ ઉઅતરતો ચાલ્યો પણ રાજપૂત અટકો યથાવત રહી તેમજ મોટા કુળો પ્રસંગોપાત પોતે આવા કુળની કન્યાઓ લેતા હતા.

Comments

Popular posts from this blog

આપણા વિષે

આપણા વિષે              ગરવી ગુજરાત નામ સાંભળતાં જ ગુજરાતી ભાષા, ગુજરાતી પ્રજા અને તેની સંસ્કૃતિની સમુજ્જ્વલ પરંપરાનું ભાન થાય છે. ગુજરાતનાં મૂળ અને કુળની પરંપરા ઘણી સુદર્ધ અને સમૃદ્ધ છે. જેમ વૃક્ષને મૂળિયાં હોય તેમ પ્રજાને તેનાં પણ મૂળિયાં હોય છે. વૃક્ષ જેમ દૂર દૂર સુધી પહોંચેલાં પોતાનાં મૂળિયાં વાટે પોષણ મેળવે છે તેમ પ્રજા પણ તેના અતીતમાં ઊંડે સુધી વિસ્તરેલી તેની સાંસ્ક્રુતિક પરંપરા વાટે પ્રેરણા-પોષણ મેળવે છે. દરેક પ્રજાનું વ્યકતિત્વ આવી પરંપરાથી ઘડાય છે તેમજ વિકસે છે. કનૈયાલાલ મુનશી કહે છે તેમ, જો કોઇ એક સાંસકારિક વ્યકતિ તરીકે પોતાનું આગવું સ્થાન સિધ્ધ કરી શક્યું હોય તો તેની ઉપરોકત સંસ્કાર પરંપરાગતને કારણે. કોઇપણ મનુષ્યનો ચહેરો મહોરો , તેનું કદ, તેનો વાન, તેની પ્રકૃતિની નાની મોટી ખાસિયતો, આ બધું આકસ્મિક હોતું નથી. તે એક સુદિર્ધ, સાતત્યપૂર્ણ અને સંકુલ સાંસ્કૃતિક પરંપરાની નીપજરૂપ હોય છે. આ બધું આપણા ગુજરાતી માટે, આપણા સમાજ માટે, આપણા સમસ્ત ક્ષત્રિય માટે અને સાથે સાથે આપણા ક્ષત્રિય ઠાકોર, કે જે પોતાની આગવી સાંસ્કૃતિક પરંપરાઓ માટે જાણીતો છે, આ બધાય માટેય આ સાચું છે.