ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ
પ્રસ્તાવના:-
રાજય
સરકારે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના આર્થિક ઉત્કર્ષ માટે વિવિધ
કલ્યાણકારી પ્રવૃત્તિઓ હાથ ધરેલ છે. જેના ભાગરૂપે ગુજરાત પછાત વર્ગ વિકાસ
અધિનિયમ - ૧૯૮પ અન્વયે વર્ષ : ૧૯૮૭ માં ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમની રૂ.
૧પ.૦૦ કરોડની સત્તાવાર શેરમુડીથી રચના કરવામાં આવી હતી. સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના આર્થિક ઉત્કેર્ષ માટે સરકારશ્રીને
એક સ્વાકયત સંસ્થાોની જરૂર જણાતી હતી આ હેતુ પાર પાડવા માટે સરકારશ્રીએ
ગુજરાત પછાત વર્ગ વિકાસ કોર્પોરેશન નામનો ખરડો વિધાનસભામાં ૧૯૮પ માં પસાર
કર્યો આ રીતે ગુજરાત પછાત વર્ગ વિકાસ કોર્પોરેશન અસ્તિત્વ માં આવ્યુંર આ
અધિનિયમની કલમ(૪) (૧) નીચે ગુજરાત સરકારે તા. ૬-૭-૧૯૮૭ થી ગુજરાત પછાત વર્ગ
વિકાસ કોર્પોરેશનની સ્થારપના કરી. રૂ. ૧પ.૦૦ કરોડની શેરમૂડીથી રચના
કરવામાં આવી હતી.
નિગમની કચેરી બ્લોક નં. ૧૧ , બીજો માળ, ડો.જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર ખાતે આવેલ છે
નિગમની કચેરી બ્લોક નં. ૧૧ , બીજો માળ, ડો.જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર ખાતે આવેલ છે
હેતુ :-
- આ અધિનિયમની જોગવાઇઓને આધીન રહીને, ગુજરાત રાજયમાં સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના નાગરિકોની સામાજીક અને આર્થિર્ક ઉન્નતિનું કાર્ય હાથ ધરવું અને વિકાસલક્ષી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવું.
- પોતાની મેળે અથવા કોર્પોરેશન મંજુર કરે તેવા પછાત વર્ગના સંગઠનોના સહયોગથી અથવા તેમની મારફત કૃષિ વિકાસનો કોઇ કાર્યક્રમ, બજાર વ્યવસ્થા, પ્રક્રિયા, ખેત ઉત્પાદનનો પુરવઠો અને સ્ટોરેજ, લઘુ ઉધોગ, મકાનોના બાંધકામ, હેરફેર અને રાજય સરકાર આ અર્થે મંજુર કરે તેવી અન્ય પ્રવૃત્તિઓનું આયોજન કરવાની અને તેને ઉત્તેજન આપવાની
- પછાત વર્ગોના સંગઠનોના સભ્યોને ગ્રાન્ટ અને આર્થિક સહાય આપવાની અને તેઓએ લીધેલી લોનની બાંહેધરી આપવાની
- પછાત વર્ગોના નાગરીકો માટે રોજગારીની તકોને ઉત્તેજના આપવી.
- સામાજીક અને શૈક્ષણિક વર્ગોના નાગરીકોને અથવા પછાત વર્ગના સંગઠનોને લોનો આપવાની અથવા તેમને માટે સુરક્ષિત લોનો મેળવવાની.
- રાજય સરકાર નિર્દિષ્ટ કરે તેવી શરતોને આધીન રહીને નાણાં ઉછીના લેવાની.
- સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના સંગઠનોના સભ્યોને ખેતી વિષયક અથવા ઔધોગિક યંત્ર સામગ્રી અથવા સાધનસામગ્રી ભાડે આપવાની.
- પછાત વર્ગોના સંગઠનોના સભ્યોને ગ્રાન્ટ અને આર્થિક સહાય આપવાની અને તેઓએ લીધેલી લોનોની બાંહેધરી આપવાની.
- રાજય સરકાર કોર્પોરેશનને સોંપે તેવી અન્ય કોઇ પ્રવૃત્તિ હાથ ધરવાની.
આર્થિક ઉત્કર્ષ
- નવી સ્વર્ણિમા યોજના (ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ)
- લધુસ્તરીય નાણાં ધિરાણ યોજના (માઈક્રો ફાઈનાન્સ)
- મહિલા સમૃધ્ધિ યોજના (ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ)
- સ્વયં સક્ષમ યોજના (ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ)
- તાલીમ યોજના (ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ)
- શિલ્પ સંપદા (ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ)
- કૃષિ સંપદા
શૈક્ષણિક
શૈક્ષણિક યોજનાનું ફોર્મ:-ડાઉનલોડ
લાભાર્થીઓ:-
- વર્ષ ર૦૧૨-૧૩ ની શૈક્ષણિક લોન યોજનામાં પસંદગી પામેલ લાભાર્થીઓની યાદી
- વર્ષ ર૦૧૩-૧૪ ની શૈક્ષણિક લોન યોજનામાં પસંદગી પામેલ લાભાર્થીઓની યાદી
સંપર્ક કરો:-
ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ
બીજો માળ, બ્લોક નંબર : ૧૧ ,
ડૉ જીવરાજ મહેતા ભવન,
ગાંધીનગર.
ગુજરાત (ઇન્ડિયા).
ફોન નંબર : +૯૧ ૭૯ ૨૩૨૫૭૫૫૭ / ૨૩૨૫૭૫૫૯ / ૨૩૨૫૭૫૬૦
ફેક્ષ નંબર : +૯૧ ૭૯ ૨૩૨૨૧૩૨૪
ડૉ જીવરાજ મહેતા ભવન,
ગાંધીનગર.
ગુજરાત (ઇન્ડિયા).
ફોન નંબર : +૯૧ ૭૯ ૨૩૨૫૭૫૫૭ / ૨૩૨૫૭૫૫૯ / ૨૩૨૫૭૫૬૦
ફેક્ષ નંબર : +૯૧ ૭૯ ૨૩૨૨૧૩૨૪
Comments
Post a Comment